Link Worth

યાદોનું રેત પંખી

Written by kakasab on 6:40 AM

જીવન રફતાર એટલી ઝડપે આગળ વધે છે કે વર્ષ વીતી જાય છે ને ખબર પણ નથી પડતી. અમૃતા પ્રિતમને આ દુનિયા છોડે વર્ષ વીતી ગયું પણ મારે માટે હજી આ ઘા લીલો છે, કદાચ આ ઘા ક્યારેય નહી રૂઝાય. સમયની રેતી ને જરીક હળવેથી પણ હટાવીશ તો આ ઘા એમનો એમ તાજો મળી આવશે.

એ રાત્રે મારું મન કારણ વિના ભારી થઈ ગયું હતું. કંઈ સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે હું સમજી નહોતી શકી કે મારી અંદર એક મૃત્યું થઈ રહ્યું છે.

વર્ષો પહેલાં હું જ્યારે અમૃતાજીને મળી હતી મેં કહ્યું હતું : “અમૃતા ! આપકે હોતે હુએ હી માનો આપકા દૂસરા જનમ હો ગયા હૈ. જબ જબ મૈં મેરે અંદર ઝાંકતી હું આપ મુજે મેરે અંદર હી મિલ જાતી હૈ.”

અમૃતાજીએ મૃત્ય પહેલાંના અંતિમ દિવસોમાં ઇમરોઝને સંબોધીને છેલ્લી નઝમ લખી હતી એનો થોડોક અંશ :
મૈં તુજે ફિર મિલુંગી

મૈં તુજે ફિર મિલુંગી
કહાં કિસ તરહ
પતા નહિં
શાયદ તેરી કલ્પનાઓ મેં
ચિત્ર બનકર ઉતરુંગી
જહાં કોરે તેરે કેનવાસ પર
એક રહસ્યમય લકીર બનકર
ખામોશ તુજે તકતી રહુંગી

ઇમરોઝે કહ્યું :
મુજે ફિર મિલેગી અમૃતા

મેરા તો કભી પુન:જન્મ પર ભરોસા નહિ રહા પર અમૃતાકા ખૂબ રહા હૈ. ઉસને અપની આખરી નઝમમેં મુજસે કહા હૈ - મૈં તુમ્હે ફિર મિલુંગી. અમૃતાકી બાત પર તો ભરોસા કર હી શકતા હું.

અમૃતા માટે ઇમરોઝે લખેલી કવિતા :

ઘોસલા ઘર

અબ યહ ઘોસલા ઘર ચાલીસ સાલ કા હો ચૂકા હૈ
તુમ ભી અબ ઉડનેકી તૈયારીમેં હો
ઇસ ઘોસલા ઘરકા તિનકા તિનકા
જૈસે તુમ્હારે આને પર સદા
તુમ્હારા સ્વાગત કરતા થા
વૈસે હી ઇસ ઉડાનકો
ઇસ જાને કો ભી
ઇસ ઘર કા તિનકા તિનકા
તુમ્હેં અલવિદા કહેગા

એ રાત્રે મારી અંદર એક ખૂણો રાખનો ઢેર બની ગયો પણ આ રાખને અડવા માત્રથી એ રાખમાંથી રેતપંખી જન્મે છે. હા ! અમૃતા અમર છે મારી યાદોમાં….

- મીના

Related Posts by Categories



Widget by Hoctro | Jack Book
  1. 0 comments: Responses to “ યાદોનું રેત પંખી ”

Google Adsense 2